![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/corona-nnn-4.png)
ગાંધીનગરમાં કોરોનાના વધુ 3 કેસ, શહેરમાં કોરોનાના કુલ 8 કેસ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ગાંધીનગરમાં કોરોનાંનાં કેસમાં વધારો થયો છે. ગાંધીનગરમાં કોરોનાના ૩ કેસ નોંધાયા છે.
IIT ગાંધીનગર અને સેકટર 29માં કોરોનાનાં કેસ નોંધાયા છે. IIT ગાંધીનગર માં કર્ણાટકથી આવેલા પ્રોફેસર દંપતી કોરોના સંક્રમિત થયાં છે અને સિંગાપોરથી આવેલ સેકટર 29 નાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારે ગાંધીનગરમાં કોરોનાનાં આંકડાં 8 થઈ ગયાં છે. જેને લઈને આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. કર્ણાટક અને સિંગાપુર ઉપરાંત વિદેશથી પરત આવેલા યાત્રીઓને તકેદારીના ભાગરુપે કોરોના ટેસ્ટ કરાવવાની ખાસ તાકીદ કરાઈ છે.
Tags corona Gandhinagar india Rakhewal