રણુજા દર્શન કરીને પરત ફરતા 6 મિત્રોને નડ્યો અકસ્માત, એકનું ઘટનાં સ્થળે મોત

ગુજરાત
ગુજરાત

ધાનેરાના સાંકડ અને રમુણા ગામનાં 6 મિત્રો રણુજા દર્શન કરીને પરત આવતાં હતાં. ત્યારે રાજસ્થાનના સાંચોર- બાડમેર હાઇવે નજીક અચાનક ગાડી પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં સાંકડનાં એક યુવકનું મોત થયું છે અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે.

આ ઘટનાં સોમવારની વહેલી સવારે બની હતી. આ અકસ્માતમાં સાંકડનાં દીપકભાઈ પ્રતાપભાઈ ઠાકર(ઉં. 40)નું ઘટનાં સ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય પાંચ પ્રકાશભાઈ દેવજીભાઈ પ્રજાપતિ, વિક્રમભાઈ વાસુભાઈ ત્રિવેદી, દશરથભાઈ હીરાભાઈ સુથાર, દેવકરણભાઈ વિરમાભાઈ ચૌધરી અને વનાભાઈ જીવરાજભાઈ સુથાર ઘાયલ થયા હતા. આ ઘાયલ થયેલાં પાંચ મિત્રોને સારવાર માટે ધાનેરાની આયુષ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. દિપકભાઇનાં મૃત્યુથી પરિવારમાં અને સાંકડ ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.