![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/girnar.png)
ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકો!
ગિરનાર પર્વત પર ગંદકી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઇ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટમાં હાઇકોર્ટે રાજય સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના ઉપયોગ પર સદંતર પ્રતિબંધ લાદવા નિર્દેશ કર્યો હતો.
HCએ ગિરનાર પર્વત પર પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવા નિર્દેશ આપ્યા છે. અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર આસપાસ ગંદકી બાબતે HCમાં જાહેર હિતની અરજી થઇ હતી. HCએ કહ્યું કે, માત્ર પ્રતિબંધ જ નહીં પરંતુ પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા કડક પગલા પણ રાજ્ય સરકાર, સ્થાનિક તંત્રએ લેવા પડશે. બંને દેવ સ્થાનોએ અન્ય ગંદકી પણ દૂર કરવા કહ્યું છે. રાજ્યમાં ધાર્મિક સ્થાનો પર પ્લાસ્ટિકનો પ્રતિબંધ મુકવો જોઇએ? કોમેન્ટમાં જણાવો.