વિસનગર APMCના કોટનશેડમાં આગ લાગશે તો મોટા નુકસાનની ભીતી

મહેસાણા
મહેસાણા

વિસનગર એપીએમસીમાં હાલ કપાસની ખૂબ આવક થઈ રહી છે. જેમાં એપીએમસમા આવેલ કોટન શેડમાં કપાસના રૂ ની આવક થાય છે, પરંતુ અચાનક કપાસમાં આગ લાગે તો તેના માટેની કોઈ સુરક્ષાની તૈયારીઓ રાખવામાં આવી નથી. જેમાં કોટન સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં કપાસના રૂ ની આવક થાય છે. પરંતુ હજુ સુધી આગ સામે કાબૂ મેળવનાર ફાયર સેફ્ટીના સાધનો કોટનશેડમાં લગાવવામાં આવ્યા નથી. જો આગ લાગશે તો મોટું નુકસાન થવાની ખેડૂતોમાં ભીતી સેવાઈ રહી છે. તો સત્વરે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં કોટનશેડ માં ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવે તેવી ખેડૂતોમાં માગ ઉઠી છે.


શિયાળાની ઋતુમાં કપાસની આવક જોવા મળે છે. જેમાં વિસનગર એપીએમસીમાં પણ ખેડૂતો કપાસના રૂનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. જેમાં એપીએમસીમાં વડનગર હાઇવે રોડ પર ગેટની નજીક આવેલ કોટનશેડમાં કપાસના રૂ હરાજી સહિત તોલમાપની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં બહુ મોટા પ્રમાણમાં ખેડૂતો કપાસનું રૂ ખાલી કરે છે. જે કોટનશેડમાં આગ સમયે કામમાં આવતા એકપણ ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા નથી. જેથી અચાનક કોઈ આકસ્મિક આગ લાગશે તો મોટુ નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. આગ લાગવાથી કપાસનું રૂ પણ બળીને ખાખ થઈ શકે છે અને ખેડૂતને પારાવાર નુકસાન થઈ શકે છે. જેથી કોઈ આગની આકસ્મિક ઘટના બને તે પહેલા સત્વરે કૉટનશેડમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવે તેવી ખેડૂતોમાં માગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.