કોરોના અપડેટ: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 341 કેસ
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 341 જેટલા કેસો નોંધાયા છે. ત્યારે દક્ષીણ ભારતના કેરળમાં ૩ દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યું કે, કેરળમાં કોરોનાના 292, તમિલનાડુમાં 13, મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 9, તેલંગાણા અને પુચેરીમાં 4, દિલ્હી અને ગુજરાતમાં 3 અને પંજાબ અને ગોવામાં એક-એક કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 2311 છે.
દેશમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તાજેતરમાં રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી હતી. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે.