AAP બાદ કોંગ્રેસને મળી શકે છે મોટો ઝટકો, કોંગ્રેસનાં આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. આમ આદમી પાર્ટીનાં ધારાસભ્યએ રાજીનામું લઈને ભાજપમાં જોડાયા છે. AAP બાદ કોંગ્રેસને મોટો ઝટકો મળવાનો છે. કોંગ્રેસમાંથી એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તે સાથે જ કેટલાક ધારાસભ્યો પક્ષપલટો કરી રહ્યા છે. AAP નાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ AAP પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. તે બાદ હવે કોંગ્રેસનાં ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા છે. કોંગ્રેસનાં કેટલાંક નેતાઓ ભાજપનાં સંપર્કમાં છે.

આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસમાં ભંગાણની શક્યતા છે. ગુજરાતમાં હાલ કોંગ્રેસનાં 17 ધારાસભ્યો છે. જો કોંગ્રેસનો એક ધારાસભ્ય રાજીનામું આપે તો કોંગ્રેસ નબળું પડી જશે. એક ધારાસભ્ય રાજીનામું આપે તો કોંગ્રેસમાં 16 ધારાસભ્યો રહેશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામું પડે તે ભાજપ માટે ખૂબ સારા સમાચાર છે. કૉંગ્રેસ તૂટી રહ્યુ હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.