સુચના: અમદાવાદ શહેરના આ મેટ્રો રુટ આજે બંધ રહેશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં મેટ્રોની શરૂઆત થતાં જ શહેરીજનોને અવર જવરમાં ખૂબ જ સરળતા રહે છે. પરંતુ જો તમે નોકરી ધંધા પર જવા માટે મેટ્રોની સફર કરતા હોય તો આ ખાસ વાંચજો, આજે બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી *વસ્ત્રાલથી *થલતેજ સુધીનો મેટ્રો રૂટ બંધ રહેશે. ઉલ્લેખનીય છેકે, કાંકરિયા મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ થયુ હોવાથી પહેલા તેનુ ઈન્સ્પેક્શન કરાશે જેને કારણે આ રૂટને ત્રણ કલાક સુધી બંધ રાખવામાં આવશે.

પ્રાપ્ત વિગતો એવી છે કે અમદાવાદના કાંકરિયા મેટ્રો સ્ટેશનના ઈન્સ્પેક્શનને લઈ આજે વસ્ત્રાલથી થલતેજ મેટ્રો બપોરે 2 થી 5 વાગ્યા સુધી બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. અહીં આ માહિતી ખાસ એટલા માટે આપવામાં આવી છેકે, આ સમયગાળામાં મેટ્રોમાં મુસાફરી કરતા નોકરિયાતો, ધંધાર્થીઓ અને અન્ય મુસાફરોને કોઈપણ પ્રકારની હેરાનગતિનો સામનો ન કરવો પડે. મહત્વનું છે કે, મેટ્રોના કાંકરિયા ઈસ્ટ સ્ટેશનનુ કામ પુર્ણ થયુ હોવાથી હવે નવુ સ્ટેશન ખુલ્લુ મુકતા પહેલા ઈન્સ્પેક્શન કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.