ગુજરાતમાં અકસ્માતોની વણઝાર, ગોઝારો દિવસ, 6ના મોત
ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે. રાજ્યમાં રવિવારનો દિવસ ગોઝારો રહ્યો હતો. અકસ્માતોની વણઝાર સર્જાઇ હતી. જેમાં 6 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. વલસાડ નેશનલ હાઈવે પર સુગર ફેક્ટરી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી.
જેમાં અજાણ્યા વાહન ચાલક બાઇક રાઇડરને ટક્કર મારીને ફરાર થયો હતો. અકસ્માતમાં પ્રિન્સ નામના યુવકનું મોત થયું હતું. વડોદરામાં ડભોઈમાં કારની અડફેટે 2 યુવકોનું મોત થયું હતું.વડોદરામાં ડભોઈમાં કારની અડફેટે 2 યુવકોનું મોત થયું હતું. પાદરા, અરવલ્લી, ડભોઈમાં અકસ્માત સર્જાયો હતો.