રાજકોટ પાસે વંદેભારત ટ્રેન પર પથ્થરમારો, C4 અને C5 કોચના કાંચ ફૂટ્યા

ગુજરાત
ગુજરાત

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. ગઈ કાલે અમદાવાદથી વંદે ભારત ટ્રેન રાજકોટ જઈ રહી હતી તે દરમિયાન ટ્રેન પર પથ્થર મારો થયો હતો. આ ટ્રેનમાં રાજયનાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ મુસાફરી કરી રહ્યાં હતાં. ટ્રેન પર પથ્થર મારો થતાં લોકોમાં ભારે સનસનાટી મચી ગઈ છે. રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા આ ઘટનાં અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે રાજકોટની ભાગોળે પહોંચતા ટ્રેન પર પથ્થર મારાની ઘટના બની હતી. પથ્થરમારામાં બે કોચનાં કાચ ફૂટ્યા હતાં. C4 અને C5 કોચના કાચ ફૂટ્યા હતાં. ગૃહમંત્રી બેઠા હતાં તે જ ટ્રેનના કોચ નંબર સી-4 ઉપર પથ્થરમારો થતા રેલવે પોલીસ સહિત સમગ્ર તંત્ર એકશનમાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.