![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/07-4.jpg)
વિસનગરમાં બાબાસાહેબની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
વિસનગરમાં આજે એમ.એન.કોલેજ નજીક આંબેડકર ચોક ખાતે બંધારણન ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત સમાજ, ભાજપના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકરો દ્વારા ડૉ. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં દલિત સમાજ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાબા સાહેબ ‘અમર રહો ના નારા’ ઉચ્ચાર્યા હતા.
દર વર્ષે દેશમાં ડૉ.ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં દરેક જગ્યાએ ડૉ. ભીમરાવ આંબેડકરને 6 ડિસેમ્બરના રોજ શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ત્યારે વિસનગરમાં પણ એમ.એન.કોલેજ નજીક આવેલ આંબેડકર ચોક ખાતે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત સમાજના આગેવાનો દ્વારા ડૉ.બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ‘અમર રહો ના નારા’ ઉચ્ચારી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા.આ કાર્યક્રમમાં દલિત સમાજ દ્વારા વિસનગરના નારીગૃહ ખાતે ધાબળા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યકમમાં ગણપત પરમાર, કિરીટ પરમાર, વિજય ખુરાના, નરેશ નાગર તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ વર્ષા પટેલ, સ્વચ્છતા કમિટી ચેરમેન જગદીશ પટેલ, દંડક અમાજી ઠાકોર અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર સહિત હાજર રહ્યા હતા. જ્યારે ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભાજપ કે કોંગ્રેસના ઉચ્ચ પદાધિકારીઓ જોવા મળ્યા ન હતા.