![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/fi.png)
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં કાશીવિશ્વનાથ મંદિર પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. એપાર્ટમેન્ટની એક બિલ્ડીંગના 3 માળ પર આગ લાગવાથી લોકોમાં ચકચાર મચી હતી. આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ગેસનો બાટલો ચાલુ કરીને પાણી ગરમ કરવા જતા ગેસનો બોટલ ફાટ્યો હોવાનું સામે આવ્યુ છે. જેમાં પરિવારના મોભી સામાન્ય દાઝ્યા છે.તો ઘટનાની જાણ થતા નગરસેવક કમલેશ પટેલ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વૃદ્ધાને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.