ઈડરના બોલુન્દ્રા કાલભૈરવ મંદિરે 301 વાનગીઓનો ભોગ ધરાવાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

આજે કારતક વદ આઠમ એટલે કાલભૈરવ દાદાની જન્મ જયંતી છે. જેને લઈને કાલ ભૈરવ મંદિરોમાં પૂજા અર્ચન, યાગ, મહાઆરતી સહિત વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. ઈડરના બોલુન્દ્રા કાલભૈરવ મંદિરે 301 વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો છે. હાલ મહાયાગનો પ્રારંભ થયો છે અને સાંજે મા-બાપને ભૂલશો નહિ કાર્યક્રમ યોજાશે.સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બોલુન્દ્રા ખાતે ગુજરાતનું પ્રથમ શિખરબંધી કાલ ભૈરવ મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે મંગળવારને કાલ ભૈરવ જયંતીએ મંદિરમાં દાદાને, મંદિરને અને મંદિર પરિસરને ફૂલો અને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે.


સવારે કાલ ભૈરવદાદાને 301 વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો છે. જેના દર્શન માટે ભક્તો સવારથી મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. બપોરે 12 વાગે કાલભૈરવ યાગનો યજમાનના હસ્તે શરુ થયો હતો. જે બપોરે 3 વાગે પૂર્ણ થયો હતો. તો રાત્રે આ મંદિર પરિસરમાં સાંજે 7 કલાકે મા-બાપને ભૂલશો નહિ કાર્યક્રમ અશ્વિન જોશીના નિશ્રામાં યોજાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.