![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/15-2.jpg)
દાંતા તાલુકાના નવાવાસકાંઠ ગામે 35 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને 4 લાભાર્થીઓને ઉજ્જ્વલા યોજનાનો સ્થળ પર લાભ અપાયો
બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તાર દાંતા તાલુકામાં ફરી રહ્યો છે. જેના ભાગરૂપે તા. 4 ડિસેમ્બરના રોજ દાંતા તાલુકાના નવાવાસકાંઠ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. ગામમાં સવારે 10 વાગે રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.
રથ દ્વારા ગામમાં કુલ 115 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. જેમાં 35 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના 4 લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા હતા. તેમજ 5 લાભાર્થીઓના નવા કનેક્શન માટેની નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટી. બી. સ્ક્રીનીંગ 71 દર્દીઓ અને સિકલસેલ એનીમિયા સ્ક્રીનીંગ 19 દર્દીઓના કરવામાં આવ્યા હતા. 115 જનરલ લાભાર્થીઓ સહિત 235 લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.