![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/17-1.jpg)
હિંમતનગરના ડેમાઈ રોડ પરની આશાપુરા સોસાયટીમાં બંધ મકાનમાં 5 તોલાના સોનાના દાગીનાની ચોરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ડેમાઈ રોડ પર આવેલા આશાપુરા સોસાયટીમાં બંધ મકાનમાં સાત દિવસ પહેલા તસ્કરોએ મકાનને નિશાન બનાવીને 5 તોલાના સોનાના રૂ 3.42 લાખના દાગીનાની ચોરી કરી લઇ જતા હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. જેને લઈને પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના ડેમાઈ રોડ પર આવેલા આશાપુરા સોસાયટીમાં મકાન નં 109માં રહેતા અનોપસિંહ વજેસિંહ સિસોદિયાના બંધ ઘરમાં 24 નવેમ્બરના સાંજે સાડા પાંચ વાગ્યાથી 26 નવેમ્બર સાંજે સાડા ચાર વાગ્યા દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ ઘરના પાછળ રસોડાની બારી ખોલી તેમાં હાથ નાખી રસોડાના દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશ કરીને બેડરૂમમાં મુકેલા લાલ કલરની બેગમાંથી સોનાનો સેટ ચાર તોલાનો બુટ્ટી સાથેનો કિંમત રૂ 2.28 હજાર અને બીજો સેટ સોનાનો એક તોલાનો મોતીવાળો કિંમત રૂ 57 હજારનો તથા કપાળમાં લગાવવાની રખડી એક તોલાની કિમત રૂ 57 હજાર મળી કૂલ રૂ 3.42 હજારની ચોરી કરી લઇ ગયા હતા.
જેને લઈને શનિવારે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અનોપસિંહ વજેસિંહ સિસોદિયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે 3.42 લાખની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.