અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી : 30 લોકો ઘાયલ
અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી છે. જેમાં અકસ્માતમાં 30થી વધુ યાત્રિકો ઘાયલ થયા છે. જે પછી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રથી 20 દિવસની યાત્રા માટે નીકળ્યા હતા.
સૌરાષ્ટ્ર થી એક બસ અંબાજી થઈ વિવિધ ધાર્મિક સ્થાનોના પ્રવાસ માટે નીકળી હતી. જેમાં 50થી વધુ મુસાફરો ખાનગી બસમાં સવાર હતા. આ દરમિયાન અંબાજી દર્શન કર્યા બાદ મોઢેરા અકસ્માત જતાં હતા. જેમાં મુસાફરો જામનગર, મોરબી અને રાજકોટથી નીકળ્યા હતા. જેને અચાનક અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી હતી.આ વચ્ચે હજુ પણ કેટલાક યાત્રિકો બસમાં ફસાયેલા હતા. જેમાં અકસ્માત ઘાયલોને 108 મારફતે દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 30 થી વધુ યાત્રિકો ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ કેટલાંક મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.