![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/10-1.jpg)
બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું
બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વાર વાદળો ઘેરાયા છે. જિલ્લામાં સાંજના સમયે વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. થોડાક દિવસ અગાઉ પડેલા કમોસમી વરસાદમાં ખેડૂતોને ખેતીમાં ખુબ નુકસાન થયું હતું, ત્યારે ફરી વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજના સમયે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. થોડા દિવસ અગાઉ પડેલા વરસાદના કારણે ખેડૂતોને એરંડા વરીયાળી જેવા કેટલાક પાકોને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી કલેકટરને આવેદનપત્ર પાઠવી નુકસાનનું વળતર ચૂકવવા રજૂઆત કરી હતી. આજે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા પાલનપુર સહીત આજુબાજુના વિસ્તારમાં વાદળો ઘેરાયા છે જેને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે જોકે ફરી કમોસમી વરસાદ થાય તો પાકોમાં રોગ આવવાની શક્યતાઓ થઈ શકે તેમ છે.