અમીરગઢમાં અમિત ચાવડાએ કહ્યું- આદિવાસી લોકોની 10,000 પેન્ડિંગ અરજીઓ છે જેનો સરકાર તાત્કાલિક નીકાલ લાવે

બનાસકાંઠા
બનાસકાંઠા

આગામી લોકસભાની ચૂંટણી અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને દાતા વિધાનસભા વિસ્તારના અમીરગઢમાં કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને લોકો હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણી અગાઉ રાજકીય પક્ષો સક્રિય બની રહ્યા છે.આજે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે દાતા વિધાનસભાનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. બનાસકાંઠામાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને અપાર નુકસાન પહોંચ્યું છે, પરંતુ તંત્ર દ્વારા ખેડૂતોને વળતર આપવાની નકારાત્મક વૃતીને લઈને સરકારને ખેડૂત વિરોધી સરકાર અમિત ચાવડાએ ગણાવી હતી.


આ ઉપરાંત અમિત ચાવડાએ જંગલ જમીન અધિકાર અને આદિવાસી લોકોની 10,000 પેન્ડિંગ અરજીઓની તાત્કાલિક એક માસમાં નિકાલ લાવવાની માંગ કરી હતી. તેમજ આ માંગ એક મહિનામાં પૂરી નહીં થાય તો ગાંધીનગર સુધી જશું અને આદિવાસી લોકો સાથે મળી મોટું આંદોલન કરશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.