સિદ્ધપુરનાં કારતક મેળામાં હોસ્પિટલ દ્રારા દંતજાગૃતિ નિદાન અને વ્યસન મુક્તિનો કેમ્પ યોજાયો

પાટણ
પાટણ

સિધ્ધપુર ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્રારા જગ જાણિતા કારતક નાં મેળામાં પ્રજાજનો માટે દંત જાગૃતિ નિદાન અને વ્યસનમુક્તિનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. સંસ્થા દ્રારા મેળાનાં પ્રથમ દિવસથી કેમ્પનું આયોજન કરી મેળામાં આવતાં નાગરિકોને વિનામૂલ્યે દાંતનુ નિદાન કરી દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.


તમાકુ અને સોપારીના દ્રારા થતાં વિવિધ રોગોથી બચવા માટે વ્યસનમુક્તિ અભિયાન પણ કેમ્પમાં રાખવામાં આવ્યુ હતું. સંસ્થાના ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લીક હેલ્થ ડેન્ટીસ્ટ્રી વિભાગનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાના વિવિધ વિભાગોનાં ડોક્ટરો દ્રારા તથા ઈન્ટર્નસે સેવાઓ આપી હતી. કેમ્પમાં તપાસેલ દર્દીઓને રેફરલ કાર્ડ આપી દાંતની હોસ્પિટલ દેથળી ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેમ્પમાં મોટી સંખ્યામાં પ્રજાજનો એ ચેક અપ કરાવી નિદાન કરાવ્યુ હતું. એવુ સિધ્ધપુર ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દેથળીનાં ડીન ડૉ.ધર્મેદ્ર શાહે અખબારયાદિમાં જણાવ્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.