![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/las.png)
સુરતની આગ ઘટનામા 7 લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ
સુરતમાં આવેલી સચિન GIDCમાં આગ લાગવાની ઘટનામાં બુધવારે 20 થી વધુ કામદાર ઈજાગ્રસ્ત થવાની ઘટના બાદ 7 લોકો લાપતા હોવાનું સામે આવતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે આજે 7માં લાપતા વ્યક્તિનો પણ મૃતદેહ મળી આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે એથર કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 20 થી વધુ કામદાર ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં દાઝી ગયેલા કામદારોનો આંકડો હજુ પણ વધ્યો હતો. છેલ્લી માહિતી અનુસાર સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 27 કારીગરો દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.