![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/14-20.jpg)
ખેરાલુના માઇભક્તે 70 ગ્રામ સોનુ અંબાજી મંદિરમાં દાન કર્યું : 4,36,000 રૂપિયાનું સોનું ગુપ્ત દાન આવ્યું
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની શરહદે ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સૂવર્ણ કળશ લાગેલા છે એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે અને આ કારણે જ ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું પણ દાન આપી રહ્યા છે.
આજે મગળવારના દિવસે ખેરાલુના ભક્ત દ્વારા 70 સોનાનું દાન અંબાજી મંદિરમાં આપવામાં આવ્યું હતું. આજે સવારે સોનાની 3 નંગ લગડી જેનું વજન 70 ગ્રામ હતું અને જેની કિંમત 4,36,000 છે. તે ખેરાલુના એક માઇભક્તે અંબાજી મંદિરમાં દાન કર્યું છે. અનેકો ભક્તોમાં અંબાના મંદિરને સૂવર્ણમય બનાવવા માટે સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે આજે પણ ખેરાલુના એક માઇભક્તે 70 ગ્રામ સોનાનું દાન કર્યું હતું અને પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો.