મહેસાણામાં વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત

મહેસાણા
મહેસાણા

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ અટેકનાં કેસો વધી રહ્યા છે ત્યારે મહેસાણાની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને ચાણસ્મા તાલુકા લણવા ગામના વતની મહેન્દ્રભાઈ સેંધીદાસ પટેલ (64)નું રવિવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાને હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. તેઓએ શનિવારે રાત્રે લગ્ન પ્રસંગમાં મહેસાણા પાર્ટી પ્લોટ ખાતે હાજરી આપી હતી, પરંતુ ત્યાર બાદ ઘરે ગયા પછી વહેલી સવારે 4 વાગે છાતીમાં દુ:ખાવો ઉપડતાં તેમને તત્કાળ લાયન્સ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ડો,અમિત પટેલે તપાસ કરતાં તેઓ મૃત જણાયા હતા તેમ પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું. એમ.એસ.પટેલ ચાણસ્મા તા. પંચાયતના કારોબારી અધ્યક્ષ રહી ચૂક્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.