![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/10-19.jpg)
હિંમતનગરના APMC શાકમાર્કેટ યાર્ડમાં પાલિકાએ સફાઈ અભિયાન હાથ ધર્યું
હિંમતનગરમાં આવેલ APMC માર્કેટયાર્ડ પાછળ આવેલા શાકમાર્કેટમાં આજે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પદાધિકારીઓના હસ્તે 34 વેપારીઓને ડસ્ટબીન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રતિકાત્મક સફાઈ કરીને સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. 1 ટન કચરાનો નિકાલ કર્યો હતો., સ્વચ્છ ભારત મિશન અર્બન – ગુજરાત કાર્યક્રમ અંતર્ગત 2જી ઓકટોબર 2023ના રોજ સમગ્ર ભારતમાં શરૂ થયેલ સ્વચ્છતા માટેના જનઆંદોલન કાર્યક્રમ અંતર્ગત શનિવારના રોજ હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2023ના ભાગરૂપે એ.પી.એમ.સી. શાકમાર્કેટ ખાતે ચુંટાયેલા પ્રતિનિધિઓ, વેપારીઓ, કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, APMCના ચેરમેન જેઠાભાઈ પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ સવજી ભાટી, કારોબારી ચેરમેન જીનલ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન દિલીપ પટેલ તથા સ્વચ્છ ભારત મિશનના ચેરમેન હંસાબેન પીત્રોડા, નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો, સદસ્ય, પુર્વ નગરપાલિકા પ્રમુખ યતીનબેન મોદી, APMCના હોદ્દેદારો તથા નગરપાલિકાના કર્મચારીગણ હાજર રહી પ્રતિકાત્મક સફાઈ કરી હતી.
આ સ્વચ્છતા ઝુંબેશ કરતા અંદાજીત 1 ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યું હતું તથા વેપારીઓમાં સ્વચ્છતા બાબતે લોકજાગૃતિ ફેલાય તે માટે માર્ગદર્શક સુચનો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે APMC શાક માર્કેટના 34 વેપારીઓને ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન RCM કચેરી ગાંધીનગરના પ્રતિનિધિ હાજર રહી ટાવર શાકમાર્કેટ તથા ભીના કચરામાંથી ખાતર બનાવવાના સેન્ટરની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય વિભાગના ખાતાના વડા રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.