મેડિકલ વિધાર્થીઓ માટે ખાસ, NEET પરીક્ષા બાદ બાયોલોજીની પરીક્ષા આપી શકશે
મેડિકલ માં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં નેશનલ મેડીકલ કમિશન દ્વારા પ્રવેશના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વચ્ચે બોર્ડની બાયોલોજીની પરીક્ષા પછીથી પાસ કરી NEETની પરીક્ષા આપી શકાશે. નિણર્ય પહેલાં NEET પરીક્ષા બાયોલોજી વિષય પાસ વ્યક્તિ આપી શકતા હતા. જોકે હવે ધો.12માં બાયોલોજી ન હોય છતા પાછળથી બાયોલોજી વિષય પાસ કરીને પ્રવેશ મેળવી શકશે. વિદેશ અભ્યાસ જવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ આ નિણર્ય ઉપયોગી બનશે. 2024થી બાયોલજી વગર NEET પરીક્ષા આપી શકાશે.
- આવતા વર્ષથી બાયોલજી વગર NEET પરીક્ષા આપી શકાશે