મહેસાણાના લાડોલમાં હરસિધ્ધિ મહોત્સવની ઉજવણી કરાઈ

મહેસાણા
મહેસાણા

વિજાપુર તાલુકાના લાડોલ ખાતે આવેલા હરિસિદ્ધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી 15 નવેમ્બર થી 22 નવેમ્બર સુધી આ મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાડોલ ખાતે માતાજીના પ્રસંગમાં ઉમટ્યા હતા.તેમજ મહોત્સવના આઠ દિવસ સુધી વિવિધ ઉજવણીની ઝાખી યોજવામાં આવી હતી જેનો શ્રદ્ધાળુઓ લહાવો લીધો હતો.હરિસિદ્ધિ મહોત્સવ દરમિયાન અલગ અલગ દિવસે વિવિધ કાર્યકમો યોજવામાં આવ્યા હતા જેમાં મંદિર પર લાઈટીંગ શો,પ્રથમ વખત માતાજીનું મામેરું ભરાયું,માતાજીના ચોકમાં શિવ શક્તિ વિવાહ મહોત્સવ,મંદિર પર પ્રથમ વખત ઇતિહાસ દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો,151 કિલોના વિવિધ ફૂલો દ્વારા માતાજીનો અભિષેક કરવામાં આવ્યો,દેવી ભાગવત કથાનું રસપાન યુવા આચાર્ય વિશ્વાસ ભાઈ જાની દ્વારા કરાયું તેમજ કથામાં દિલ્હી વૃદાવન ના કલાકારો એ વેશભૂષા યોજી હતી,અને ભવ્ય અંબા પ્રાગટય ની ઉજવણી કરાઈ જેમાં ફાયર શો અને 100 કિલો ચોકલેટ પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું.


15 થી 22 નવેમ્બર દરમિયાન યોજવામાં આવેલા આ મહોત્સવમા અંદાજે 1 લાખથી વધુ દર્શનાર્થીઓ દર્શને ઉમટ્યા હતા તેમજ આ મહોત્સવમા ત્રણ મોટા સંકલ્પ કરવામાં આવ્યા હતા જેમાં હરિસિદ્ધિ શક્તિપીઠ સદીના 25 વર્ષ પૂર્ણ થવા પણ ઐતિહાસિક જાહેરાત વિશ્વાસ ભાઈ જાણીના સંકલ્પ થી કરાઈ જેમાં 2025 મા માતાજીને સંપૂર્ણ ડાયમંડ,માણેક,મોતી,પન્ના મઢીને મોરિયાવાળી ચણિયાચોળી અપર્ણ કરવામાં આવશે તેમજ 2025 સુધીમાં ગુરુ મહારાજ ના આદેશથી સવા કરોડ હરિસિદ્ધિ મંત્ર લેખન,2025 સુધીમાં માતાજી ને સુવર્ણ થાળી થાળ ધરાવવા માટે અપર્ણ કરવામાં આવશે તેમજ હાલમાં મંદિર પરિસર મા 2 ભોજનાલય છે જ્યાં વધુ એક ભોજનાલય બનાવવામાં આવશે.કથામાં રોજ એક સાથે હજારો લોકો રાષ્ટ્રગાન કરી ને કથા સાંભળતા હરસિધ્ધી શક્તિ પીઠ,લાડોલ ના યુવા આચાર્ય શ્રી વિશ્વાસભાઈ જાની ની રાષ્ટ્રભાવના સાથે જાગૃતિ નો એક પ્રયાસ કરવામા આવ્યો હતો મહોત્સવમા સળગ સાત દિવસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમવાર કોઈ કથામાં રાષ્ટ્ર ભાવના સાથે તમામ ભક્તો પોતાના સ્થાન પર ઉભા રહી રાષ્ટ્ર ગીત ગાયા બાદ કથા શરૂ કરી ભક્તો કથામાં જોડાયા હતા.અસ્થાના કેન્દ્ર સાથે આ મહોત્સવમા રાષ્ટ્ર ભક્તિ પણ જોવા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.