સિધ્ધપુર પ્રજાપતિ સમાજ દ્વારા પરિવાર પરિચય ગ્રંથ વિમોચન કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું
સિધ્ધપુરના રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ કાર્યક્રમ સાથે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે “પરિવાર પરિચય ગ્રંથ -2023 વિમોચન” કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા દેશના વિકાસ માટે કટીબદ્ધ છે. તેઓએ વિચારીને દેશના વિકાસ અનુરૂપ યોજનાઓ અમલમાં તેઓના દ્વારા મુકવામાં આવી રહી છે. હું સમાજના આગેવાનોને જણાવુ છું કે તમે પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેજો સાથે સમાજ દરેક તબક્કાઓ સુધી યોજનાઓની જાણકારી પહોંચાડજો. આપણે સમાજ માટે કંઈકને કંઈક કરવું છે. સમાજના ભાઈઓ સાથે મારો બહુ જૂનો નાતો રહ્યો છે.
માં બ્રહ્માણીને કૃપાથી સમાજના ભાઈઓ જે પહેલા હતા એના કરતાં આજે ખૂબ સુખી છે અને ખૂબ આગળ વધી રહ્યા છે મહેનત કરી રહ્યા છે ખૂબ સંઘર્ષની સાથે તેઓ આગળ વધી રહ્યા છે આજે સિદ્ધપુરમાં હું આપ સર્વને એક વિનંતી કરું છું હું તો આપનો છું આપ હંમેશા મારા માટે જોડાયેલા છો મારી સાથે જોડાયેલા છો હું તમારા માટે શું કરી શકું આપના માટે હું ઘણું બધું વિચારીને આવ્યો છું મારી કોઈ પણ જગ્યાએ જરૂર હોય સરકાર તરફથી સરકારી યોજનાઓનો ચોક્કસ લાભ મળે તે માટે કાર્ય કરતો રહીશ.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, પ્રજાપતિ સમાજ પ્રમુખ શિવરામભાઈ પ્રજાપતિ, સંગઠનના હોદ્દેદારો વિક્રમસિંહ ઠાકોર , એ.પી.એમ.સી. ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર , ઈશ્વરભાઈ પ્રજાપતિ, શ્રી હરેશભાઈ પ્રજાપતિ, મફતલાલ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.