ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે સાંજે 5 વાગ્યે સર્વદળીય બેઠક.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લદ્દાખમાં ચીન સાથેના વિવાદ વચ્ચે મોદી સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠક આજે સાંજે પાંચ વાગ્યે યોજાશે. તેમા ઘણા રાજકીય પક્ષના નેતાઓ સામેલ થશે. ચીન સાથેના વિવાદ અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં આપેલા નિવેદન પછી આ બેઠક બોલાવાઈ રહી છે.

આ સર્વદળીય બેઠકમાં સરકાર તરફથી સંસદ સત્રના આગામી પ્લાનિંગની વાત કરાશે. સાથે વિપક્ષ દ્વારા ઉઠાવાયેલા મુદ્દા પર વાતચીત થશે. આ બેઠકમાં કોંગ્રેસ દ્વારા LACના મુદ્દા પર મંથન કરવાની માંગ કરાશે.

જોકે સંસદ સત્રમાં સરકાર દ્વારા નિવેદન અપાયું હતું, પરંતુ વિપક્ષ દ્વારા વિસ્તારથી ચર્ચાની માંગ કરાઈ હતી. જો કે સરકારે ચર્ચા માટે બેઠક બોલાવવાની વાત પર ભાર મૂક્યો હતો.

જ્યારે મોનસૂન સત્રની શરૂઆત થઈ અને પ્રશ્નકાળને રદ્દ કરાયો ત્યારે કોંગ્રેસ અને ટીએમસી સહિત ઘણા પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો અને સરકાર ચીનના મુદ્દે ચર્ચાથી ભાગી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.