![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/d1bfdc6e-6a44-4b43-99b1-0e655aa15ca7.jpg)
ડીસાના સરદાર બગીચા નજીક ટ્રાફિક ચક્કાજામ
ભૂગર્ભ ગટરની આડેધડ કામગીરીથી વાહનચાલકો પણ અટવાયા
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસાના જલારામ મન્દિરથી સરદાર પટેલ બગીચા સર્કલ સુધી હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે જે કામગીરી દરમિયાન એક તરફનો માર્ગ સંપૂર્ણ પણે ખોદી દેવામાં આવ્યો છે અને માત્ર એક જ તરફનો માર્ગ ચાલુ હોઇ તમામ વાહન વ્યવહાર એક જ સાઈડના માર્ગ ઉપર ડાયવર્ટ કરાયો છે જેના લીધે અવાર નવાર ટ્રાફિક જામ થઈ જાય છે ત્યારે સોમવારે સવારે સરદાર બગીચા સર્કલથી જલારામ મન્દિર સુધી ટ્રાફિકજામ થઈ જતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેથી વાહન ચાલકો કલાકોના કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા જો કે કલાકો સુધી ટ્રાફિકજામ રહેવા છતાં પણ કોઈજ ટ્રાફિક પોલીસ કર્મી હાજર જોવા મળ્યા ન હતા જેને લઈને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જેને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થવા પામ્યાં હતા.