ઊંઝામાં નોંધાયેલા બળાત્કાર કેસના આરોપીને મહેસાણા એસોઓજી ટીમે રામોસણા ચોકડીથી ઝડપ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવણી માટે અસરકારક કામગીરી કરવા અપહરણ અને બળાત્કારના ગુન્હામાં આરોપીઓને ઝડપવા મળેલ સૂચના આધારે હાલમાં મહેસાણા એસોઓજી ટીમના માણસોએ બાતમી આધારે બળાત્કારના કેસમાં સંડોવાયેલ આરોપીને આજે ઝડપી પાડ્યો હતો.

મહેસાણા એસોઓજી ટીમના આ.હે.કો રાજસિંહ થતા આ.પો.કો જયેશ કુમાર ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઊંઝા પોલીસ મથકમાં નોંધાયેલ કલમ 376 (2) એન,354 એ,504,114 બળાત્કારના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઠાકોર રણજીતજી રૂપાજી મહેસાણાના રામોસણા ચોકડી પાસે ઉભો છે. બાતમી મળતા ટીમના માણસો ત્યાં જઈ આરોપીને ઝડપી કલમ 41(1)(આઈ)મુજબ અટક કરી વધુ તપાસ માટે મહેસાણા બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.