વિસનગરજિલ્લામાં આરોગ્યની સુવિધામાં વધારો કરવા આરોગ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
વિસનગરમાં APMC દ્વારા જિલ્લામાં આરોગ્ય સુવિધામાં વધારો કરવા માટે અને સમય સૂચકતા સાથે છેવાડાના ગામો સુધી સારી આરોગ્યની સુવિધાઓ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી છે. જેમાં વિસનગર AOMC દ્વારા 50 લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ ત્રણ એમ્બ્યુલન્સની ભેટ આરોગ્ય વિભાગને આપવામાં આવી છે. જે ત્રણ એમ્બ્યુલન્સને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરી લીલી ઝંડી આપી લોક સેવા માટે કાર્યરત કરવામાં આવી છે.વિસનગર APMC દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં APMC દ્વારા આ વર્ષે આરોગ્ય સુવિધાઓમાં વધારો કરવા માટે APMCના સ્વભંડોળમાંથી 50 લાખના ખર્ચે તૈયાર થયેલા ત્રણ અદ્યતન એમ્બ્યુલન્સ આરોગ્ય વિભાગમાં આપવામાં આવી છે.
જેમાં આરોગ્ય વિભાગના એમ્બ્લ્યુલન્સથી છેવાડાના ગામના લોકોને પણ સારી આરોગ્યલક્ષી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે ત્રણ એમ્બ્યુલન્સ વિસનગર APMC દ્વારા આપવામાં આવી છે. જે ત્રણ એમ્બ્યુલન્સનુ લોકાર્પણ વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ચેરમેન સહિતની હાજરીમાં લીલી ઝંડી આપી ત્રણ એમ્બ્યુલન્સને જન સેવામાં કાર્યરત કરી છે.