કડીમાં વિજયા દશમીની રાત્રીએ માઇભક્તો ભાવવિભોર થઈને રમતી માતાની માંડવીને વિદાય આપી

મહેસાણા
મહેસાણા

કડી શહેર તેમજ તાલુકામાં નવલી નવરાત્રીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શેરીઓ તેમજ મોહલ્લાઓ, સોસાયટીઓમાં નવલી નવરાત્રીના પ્રથમ દિવસે માંડવીની સ્થાપન કરીને માતાજીની આરતી, પૂજા, આરાધના કરી ખેલૈયાઓ અને માઈભક્તો ગરબે ઝુમી ઉઠ્યા હતા. આ વર્ષે નવલી નવરાત્રીનો અનેરો રંગ કડી પંથકમાં જોવા મળ્યો હતો. કડીમાં પ્રાચીન અને ઐતિહાસિક અનેક માંડવીઓની સ્થાપના શેરીઓ તેમજ મોહલ્લાઓમાં કરવામાં આવી હતી. જેમાં કડીના લુહાર કુઇ ખાતે પ્રથમ નવરાત્રીએ રમતી માતાજીની માંડવીની શાસ્ત્રોકત પૂજન, અર્ચન, આરાધના કરીને ભક્તો ગરબે ઝૂમી ઊઠ્યા હતા.


વર્ષોની પરંપરા મુજબ લુહાર કુઇ, તંબોળીવાસ, પાડાપોળ દેસાઈ વાળો, મણીપુર, ભાવપુરા ઝાપલી વાસ, માંડવીની પોળ જેવી અનેક પોળોમાં માંડવીઓની પ્રથમ નવરાત્રીએ સ્થાપન માતાજીનું કરી નવરાત્રીના નવે દિવસ માઈભક્તો વાજતે ગજાતે શક્તિની આરાધના પૂજા કરી ધન્યતા અનુભવી હતી. લુહાર કુઈ ખાતે રમતી માતાજીની માંડવીની સ્થાપના કરવામાં આવી હતી. નવે દિવસ માતાજીની આરાધના ભક્તો દ્વારા કરવામાં આવી હતી.કડીના લુહાર કુઇ ખાતે પ્રથમ નોરતે રમતી માતાજીની માંડવીની સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યારે નવ દિવસ નવરાત્રિના ભક્તો દ્વારા ખૂબ જ આનંદભેર ભક્તિ અને આરાધના કરવામાં આવી હતી. વિજયાદશમીની રાત્રીએ ભક્તો ભાવવિભોર જોવા મળ્યા હતા. જય અંબેના નાદ સાથે માતાજીને વિદાય આપવામાં આવી હતી. રાત્રિના 12.39ના સમયે માતાજીની માંડવીનું ઉથાપન કરવામાં આવ્યું હતું. જે બાદ ભક્તોએ માતાજીના વનામણા ગાઇને માતાજીને વિદાય આપી હતી. ભક્તો માંડવી લઈને માંડવીની પોળ, પાડાપોળ, છીપવાડ, તંબોળી વાસ, નવાપુરા થઈને બ્રાહ્મણની વાડીએ માતાજીની માંડવીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમજ મણીપુર ભવપુરા, નવાપુરા સહીત સોસાયટીઓ તેમજ શેરીઓ, મોહલ્લામાં સ્થાપન કરેલ માંડવીઓનું ઉથાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કડી શહેર વિજયાદશમીની રાત્રીએ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.