ઊંઝામાં ઠાકોર સમાજ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું

મહેસાણા
મહેસાણા

ઊંઝામાં ઠાકોર સમાજ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઊંઝા ઠાકોર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. હિન્દુ ધર્મના તહેવારોમાં નવરાત્રિના નવ દિવસ બાદ દશેરા ઉજવવામાં આવે છે. જેમાં ક્ષત્રિય ધર્મ એટલે કે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે અને શસ્ત્ર પૂજન કરવા માટે સવારના સમયે બધા એક જગ્યાએ ભેગા થઈને પોતાના સાથે લાવેલા શસ્ત્રનુ બ્રાહ્મણ દ્વારા પૂજન કરાવે છે. જેમાં આજરોજ ઊંઝા તાલુકાના ઠાકોર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકામાંથી ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


કહેવાય છે કે, લંકામાં યુદ્ધ પહેલાં ભગવાન રામે પણ શસ્ત્રપૂજન કર્યું હતું. એક માન્યતા એવી પણ છે કે પ્રાચીન કાળમાં ક્ષત્રિય રાજાઓ કોઈ પણ યુદ્ધ શરૂ કરવા પહેલાં દશેરાની રાહ જોતા હતા. કારણ કે હિન્દુ માન્યતા અનુસાર આ દિવસે જે કોઇ પણ કાર્ય કે યુદ્ધ શરૂ કરવામાં આવે તેમાં સફળતા અચૂક મળે છે. યુદ્ધે ચડવા પહેલાં શસ્ત્રોની પૂજા કરવામાં આવતી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.