કડીના કરણપુર ખાતે આવેલા ખોડીયાર માતાજીના મંદિરના ચોકમાં માઁઈભક્તો ગરબે ઝૂમ્યા

મહેસાણા
મહેસાણા

સમગ્ર ગુજરાતભરમાં જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હોય તેવો તહેવાર એટલે કે નવલી નવરાત્રી. નવ દિવસ નવરાત્રીના તહેવારમાં અલગ અલગ સોસાયટીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માઁઈભક્તો માતાજીની માંડવીની સ્થાપના કરી પૂજન-અર્ચન, આરાધના, ભક્તિ કરી આરતી ઉતારીને ગરબે રમતા હોય છે.


ભક્તિ આરાધનાનું પર્વ એટલે નવલી નવરાત્રી. કડીના કરણપુર વિસ્તારમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરના ચાચર ચોકમાં માઁઈભક્તો ગરબે ઝુમી ઉઠ્યા હતા. પ્રથમ નોરતે માતાજીની માંડવીની સ્થાપના કરી હતી. ખોડીયાર માતાજીની આરતી પૂજન કરીને નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા નોરતે માઁઇભક્તો ખોડીયાર માતાજીના ચાચર ચોકમાં ગરબે ઝૂમી ઉઠ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.