પાંથાવાડામાં બેંક ઓફ બરોડાના કર્મચારી કોરોના સંક્રમિત : બેંક દસ દિવસ માટે બંધ
રખેવાળ ન્યુઝ દાંતીવાડા : દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં બેંક ઓફ બરોડામાં કોરોનાની એન્ટ્રી થતા બેંકને દસ દિવસ માટે બંધ રાખવાના અહેવાલ સામે આવ્યા છે. પાંથાવાડામાં અગાઉ પણ કોરોનાના કેસ આવ્યા હતા. જેમાં એક વ્યક્તિનો કોરોના થી મૃત્યુ થયું તેવા અહેવાલ જાણવા મળ્યા હતા. જ્યારે આજે ફરીથી પાંથાવાડામાં કોરોનાએ ફરીથી માથુ ઉચકતા બેંક ઓફ બરોડાના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા ૧૦ દિવસ માટે બંધ રાખવામાં આવ્યાના અહેવાલો સામે આવ્યા છે તેમજ બેંકના કર્મચારીઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેને લઇને પાંથાવાડા તેમજ આજુબાજુનાં ગામડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
વધુ માહિતી પ્રમાણે આ બેંકના ગ્રાહકો વધુ હોવાથી રોજે હજારો વ્યક્તિઓની અવરજવર થાય છે. જેથી બેંકના કર્મચારીને કોરોના આવતા અનેક લોકોમાં શંકા કુશંકાઓ જોવા મળે છે. જેથી આજે પાંથાવાડા ખાતે કોરોના રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.