![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/10/NIRMALA.png)
નાણામંત્રીએ આપી રાહત, બરછટ અનાજમાંથી બનેલા ઉત્પાદનો પર ઘટાડ્યો ટેક્સ
GSTની બેઠકમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આજે 52મી બેઠક થઈ રહી છે. આજની બેઠકમાં બરછટ અનાજમાંથી બનેલી ખાદ્ય ચીજવસ્તુઓ પર જીએસટીને લઈને મોટી રાહત આપવામાં આવી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બાજરી એટલે કે બરછટ અનાજ પરના જીએસટી દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
5 ટકા GST લાગશે
ANI દ્વારા ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. ANIએ ટ્વીટમાં લખ્યું છે કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બાજરી એટલે કે બરછટ અનાજ પર જીએસટી દર ઘટાડવાનો નિર્ણય લીધો છે. અગાઉ 18 ટકાના દરે GST વસૂલવામાં આવતો હતો, પરંતુ હવેથી તે માત્ર 5 ટકાના દરે વસૂલવામાં આવશે.
સરકાર બાજરીને પ્રોત્સાહન આપી રહી છે
સરકાર દેશભરમાં બાજરીના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. આ કારણોસર, સરકારે આના પર જીએસટી દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય કાઉન્સિલ એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ENA) ને GSTમાંથી મુક્તિ આપી શકે છે.
51મી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા
તમને જણાવી દઈએ કે આ પહેલા 2 ઓગસ્ટ 2023ના રોજ 51મી GST કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો, હોર્સ રેસિંગ માટેના જીએસટી દર અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.