પાલનપુરનમાં મકાનની દીવાલ પડતા 11 લોકો દટાયા, બે બાળકો, સહિત 3ના મોત

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે પાલનપુરમાં આજે વહેલી સવારે જર્જરીત મકાનની દિવાલ ધરાશાઇ થઇ હોવાની દુર્ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં દિવાલ નીચે દટાવાથી 3 લોકોના મોત થયાનું સામે આવ્યુ છે. આ સાથે 11 જેટલા લોકો દટાયા હોવાથી સ્થાનિકો અને તંત્રએ તાત્કાલિક લોકોને બહાર નિકાળવા દોડધામ શરૂ કરી હતી. ઘટનાને લઇ મામલતદાર, પોલીસ, પાલિકા અને ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરના સેજલપુરામાં મકાનની દીવાલ ધરાશાઇ થતાં 3ના મોત થતાં ચકચાર મચી ગઇ છે. મૂળ રાજસ્થાનના લોકો મજૂરી અર્થે સેજલપુરા વિસ્તારમાં આવ્યા હતા. મજૂરી એક મકાનનું કામ કરી રહ્યા હોવાથી બાજુના જર્જરીત મકાનની દિવાલ ધરાશાઇ થતાં 11 લોકો દટાયા હોવાનું હાલની સ્થિતિએ સામે આવ્યુ છે. જોકે દીવાલ નીચે દટાઇ જવાની 2 બાળકો અને 1 મહિલા મળી 3 લોકોનું ઘટનાસ્થળે જ મોત થતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

પાલનપુરના સેજલપુરામાં બનેલી દુર્ઘટનાને લઇ સ્થાનિકો સહિત લોકોના ટોળેટોળાં એકઠા થઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં મજૂરો જર્જરીત મકાનના બાજુના મકાનના શૌચાલયનો કૂવો ખોદી રહ્યા હતા. આ દરમ્યાન જર્જરિત દીવાલ પડતાં 11 લોકો દટાયા હતા. જેમાં 3ના મોત બાદ અન્ય 8 લોકોને બહાર નીકાળી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનામાં 2 બાળકોનું પણ મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.