અમદાવાદ કે ભુવાવાદ! વસ્ત્રાલમાં ગત રાત્રે મહાકાય ભુવો પડતા વાહનચાલકોને ભારે હાલાકી
અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધેલો છે, પરંતુ ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત્ છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સૂર્યમ ગ્રીન્સ એપાર્ટમેન્ટ નજીક ગત રાત્રે મહાકાય ભૂવો પડતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટ્રાફિકથી વ્યસ્ત રહેલા વસ્ત્રાલ RTO રોડ પર અંદાજે 10 ફૂટ ઊંડો અને 6 ફૂટ પહોળો ભૂવો પડતાં લોકો માટે મહામુશ્કેલી ઉભી થઈ છે. યોગ્ય કામગીરીના અભાવે શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે. સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે, તેમ છતાં હજુ સુધી ભૂવા પડવાની સમસ્યામાંથી શહેર બહાર નથી આવી શક્યું. જેને પગલે અમદાવાદ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.