સુરેન્દ્રનગરના દસાડા-પાટડી હાઈવે પર સર્જાયો ગોજારો અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોના કરુણ મોત

ગુજરાત
ગુજરાત

ગુજરાત અકસ્માતના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક કીસ્સો સામે આવ્યો છે જેમાં સુરેન્દ્રનગરના દસાડા-પાટડી હાઈવે પર આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. રૂસ્તમગઢ ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરિવાર મોરબી કડી તરફ જઈ રહ્યો હતો ત્યારે આ કાળમુખી ટ્રકે તેમની કારને કચડી નાંખી હતી. જેમાં કાર રોડ પાસેના ખેતરમાં પડીકું વળીને ફંગોળાઈ હતી. હાલ મૃતદેહોને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી પાસેના વિરપરાડા ગામના દરબારો સ્વીફ્ટ કારમાં સવાર થઈને કડી તરફ જઈ રહ્યા હતા. કાર દસાડા પાટડી હાઈવે તરફથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી માતેલા સાંઢની જેમ આવતી એક ટ્રકે સ્વીફ્ટ કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે, કાર ફંગોળાઈને પડીકા જેવી થઈ ગઈ હતી. કાર બાજુના ખેતરમા જઈને પટકાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.