પાટણના મોતીસા દરવાજાથી બાળા બહુચર માતાના મંદિર જવાના માર્ગ પર ભૂગર્ભના દૂષિત પાણીની રેલમછેલ
પાટણ શહેરના મોતીસા દરવાજાથી ચર્મકુંડ,બાળા બહુચર માતાના મંદિર અને નારસંગાવીર મંદિર તરફ જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભના દૂષિત પાણી ની રેલમ છેલ સજૉઈ છે તો માર્ગો પર દિવસ દરમિયાન રેલાતા ભૂગર્ભના દૂષિત પાણીના કારણે માગૅ નું ધોવાણ પણ થયું હોય મોટા ખાડા પડવાના કારણે અકસ્માત ની સંભાવનાઓ પણ પ્રબળ બનવા પામી છે.મોતીસા દરવાજાથી ચર્મકુંડ,બાળા બહુચર માતાના મંદિર અને નારસંગાવીર મંદિર તરફ જવાના માગૅ ના રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટર ની લાઈન અધુરી હોવાના કારણે અને ભૂગર્ભ ગટરના પાણી નિકાલ માટેની લાઈન પણ ચોક અપ બની હોવાની આ માગૅની હાલત દયનીય બની છે.
આ માગૅ પરથી પસાર થતા ખેડૂતો,રાહદારીઓ,વાહન ચાલકોઅને દર્શનાર્થીઓ સહિત વિસ્તાર ના રહિશોને અનેક યાતનાઓ ભોગવવી પડી રહી છે. તો રાત્રિના સુમારે આ માર્ગ પરથી પસાર થતા અનેક વાહન ચાલકો માગૅ પરના મસ મોટા ખાડા મા પટકાઇ રહ્યા છે.આ વિસ્તારના કોર્પોરેટરો તેમજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગનું પેવર કામ હાથ ધરાય અને ભૂગર્ભ ગટર ના રેલાતા દૂષિત પાણીની સમસ્યા નું ત્વરિત નિરાકરણ લાવે તેવી માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો સહિત આ વિસ્તારના રહીશોમાં માંગ પ્રબળ બનવા પામી છે.તો હવે અઢી વર્ષ માટે આવેલ નવીન પ્રમુખ ઉપ પ્રમુખ આ સમસ્યા નો નિકાલ લાવશે કે પછી જેસે થે એ જોવાનું રહ્યુ.