સાંતલપુરમાં મીઠાની કંપનીમાં ટ્રક નીચે આવી જતા મજૂરનું મોત
પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ મીઠા ઉદ્યોગ સાથે અલગ અલગ ફેક્ટરીઓ આવેલી છે જેની અંદર હજારો મજૂરો કામ કરી રોજીરોટી કમાઈ રહ્યા છે.સમ્રાટ કંપનીની અંદર કામ કરતા આલાભાઇ ભલાભાઇ ચાવડા રાપર તાલુકા ના ભગેરા ગામ ના ટ્રક નીચે કંપનીનીગાડી અંદર આવી જતા તેમનું મોત નિપજ્યું હતું તેમની લાશને સાંતલપુર ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી.
પીએમ કરી લાસ ને વાલી વારસાને સોંપવામાં આવી હતી સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે સમ્રાટ કંપની ની ટ્રક ચાલક વિરોધનો ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છેલ્લા આઠ વર્ષથી મીઠા ની ફેક્ટરી ની અંદર મજૂર તરીકે કામ કરતા રાપર તાલુકાના ભગેરા ગામ ના આલાભાઇ ભલાભાઇ ચાવડા નામના વ્યક્તિનું મોત પરિવારમાં શોક નો મહોલ સર્જાયો હતો.