રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ખેડૂતોને સહાય ચૂકવવા ધારાસભ્યની મુખ્યમંત્રીને રજુઆત
રખેવાળન્યુઝ રાધનપુર : રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈને જાત માહિતી મેળવ્યા રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ખેડૂતોને ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી વ્યાપક નુકશાન થવા પામ્યું હોઈ ખેડૂતોને કપરી પરિસ્થિતિમાં સહાય ચૂકવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજુઆત કરી છે.છેલ્લા દસ દિવસથી થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખરીફ પાકો કપાસ, તલ, બાજરી, જુવાર અને કઠોળ જેવા પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોના પાકોને થયેલ નુકશાનીનો સર્વે કરીને ભારત સરકારના નેશનલ કેલેમીટી ફંડમાંથી ત્રણેય તાલુકાના ખેડૂતોને સહાય ચૂકવવા જણાવ્યું છે.આ ઉપરાંત પાક વિમા હેઠળ અવરી લેવાયેલા ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના નીચે કામ કરતી કંપનીઓને તાત્કાલિક સર્વે કરવા સૂચના આપવા પણ રજુઆત કરવામાં આવી છે.