પાટણના શ્રાવણ માસના છેલ્લા સોમવારે હનુમાન મંદિર થી કુબેરેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડયાત્રા યોજાઈ
પાટણ શહેરમાં શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે પંચમુખી હનુમાનમંદિર થી કુબેરેશ્વર મહાદેવ (સિદ્ધિ સરોવર)સુધી કાવડ યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા. શ્રાવણ માસના છેલ્લા સોમવાર ના પવિત્ર દિવસે પાટણ શહેર માં જોશી પરિવાર દ્વારા કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાવડ યાત્રા પંચમુખી હનુમાન મંદિર થી વાજતે ગાજતે નીકળી ને શહેરના સિદ્ધિ સરોવર પાસે આવેલા સુપ્રસિદ્ધ કુબેરેશ્વર મહાદેવ ખાતે સંપન્ન બની હતી .કાવડ યાત્રા નું મુસ્લિમ સમાજ ના અગેવાનો દવરા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાવડ યાત્રા પંચમુખી હનુમાનજી મંદિર થી નીકળી થી નીકળી વિવિધ માર્ગો ઉપર ફરી શહેર ના સિદ્ધિ સરોવર પાસે આવેલ કુબેરેશ્વર મહાદેવ ખાતે સંપન્ન બની હતી . ત્યાં ભગવાન મહાદેવ નો જય ઘોષ થયો હતો અને શિવલિંગ ઉપર ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ કાવડ યાત્રા મા ભાજપ ના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ,ગોપાલ રાજપૂત સહિત મોટી સંખ્યામાં જોશી પરિવારજનો અને પાટણના ધમૅપ્રેમી નગરજનો જોડાયા હતા.