પાટણ જિલ્લા ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો દ્વારા શિક્ષણના હિતમાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે થાળી વગાડવાનો કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ

કોરોના સમયે ઘેર ઘેર થાળીઓ વગાડવાનો કાર્યક્રમ યોજાયા બાદ હવે શિક્ષકો અને આચાર્યો દ્વારા પાટણ જિલ્લાની તામમ શાળાઓ ખાતે થાળીઓ વગાડીને જનજાગૃતિ ઉભી કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.


ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા શિક્ષણના હિતમાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘડેલા આંદોલનાત્મક કાર્યક્રમમાં રામધૂનના સાતમા તબક્કા બાદ આઠમા તબક્કાનો કાર્યક્રમ આજે સોમવારના રોજ સમગ્ર ગુજરાતની તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં શાળા છુટતા સમયે 15 મિનિટ શાળાના બેનર અને નિયત કરેલા પ્લેકાર્ડ સાથે થાળી વગાડીને જનજાગૃતિનો કાર્યક્રમ કરવાનું નક્કી કરાયું હતું જેને લઈ પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આદેશ કરવામાં આવતા પાટણ જિલ્લાની તમામ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને સેવકોએ શાળા છૂટવાના સમયે શાળાનું બેનર અને નિયત પ્લે કાર્ડ દર્શિત કરી 15 મિનિટ સુધી થાળી વગાડી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.