પાટણમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં હર હર મહાદેવનો નાજ ગુજી ઉઠ્યો હતો. ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાનાં શિવમંદિરોમાં શિવભક્તો ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
શિવજીનો પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાવ જોવા મળ્યો હતો. ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાટણ શહેરમાં સિધ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેશ્વર મહાદેવ ,સિધેશ્વર મહાદેવ , જબરેસ્વર મહાદેવ , લોટેશ્વર મહાદેવ , ગૌકણેશ્વર મહાદેવ , છત્રપતેશ્વર મહાદેવ , જાળેશ્વર મહાદેવ , આનંદેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં શિવભક્તો વહેલી સવારથી જ ભગવાનને બિલિપત્ર દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવી હતી. તો સાંજે મહાદેવ મંદિર માં નયનરમ્ય આગી કરવામાં આવશે. જેના દર્શન નો લાભ ભાવિક ભક્તો લેશે. આમ શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે શિવાલયો માં હરહર ભોળાનાથનો નાદ ગુજયો હતો.