ધાનેરા તાલુકાની ગૌશાળાના સંચાલકોનો સરકાર સામે વિરોધ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાની ૧૦ જેટલી રજીસ્ટ્રેશન થયેલ ગૌશાળાના સંચાલકોએ શહેરની સરકારી કચેરીએ પહોંચી બેનરો લગાવી સરકારનો વિરોધ કર્યો હતો. ગૌશાળા તેમજ પાંજરાપોલ દાતા ઓ ના દાન પર ર્નિભય હોય છે.
પરંતુ હાલના વિકટ સમય દરમિયાન દાન બંધ થતાં ગૌશાળા દેવાદાર બની ગઇ છે. ગૌવંશને બચાવવા માટે સરકાર સહાય આપે તે માટે આજે ધાનેરાની ગૌશાળાના સંચાલકો એ ધાનેરા પ્રાંત કચેરી, મામલદાર કચેરી, ધાનેરા પોલીસ સ્ટેશન તેમજ ધાનેરા તાલુકા પંચાયત ખાતે ગૌ ના ફોટા સાથે અમે ભારતનું ગૌવંશ, સરકાર માટે વોટનું સાધન શબ્દનો પ્રોયોગ કરી બેનરો લગાવવામાં આવ્યા છે.
ધાનેરા તાલુકાની જીવાણા ગામની જેતગીરીજી ગૌશાળા ના સંચાલક પ્રકાશ ગીરી મહારાજએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો સરકાર તેમની માગણી નહિ પુરી કરે તો આવનારા સમયમા તમામ ગૌશાળાનો ગૌવંશ ધાનેરાની સરકારી કચેરીમા છોડવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.