પાટણના રંગીલા હનુમાન ખાતે જય ગોપાલ મિત્ર મંડળ દ્વારા ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો
પાટણ શહેરમાં જન્માષ્ટમીના પાવન દિવસે શહેરના વિવિધ સ્થળો ઉપર ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઠેર-ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા . ત્યારે પાટણ ના જય ગોપાલમિત્ર મંડળ ,રંગીલા હનુમાન દ્વારા જન્માષ્ટમીના પવન દિવસે સાંજે શહેરના હિંગળાજ ચાચાર ખાતેથી રાધાકૃષ્ણની વાજતે ગાજતે મૂર્તિઓને લાવવામાં આવી હતી અને રંગીલા હનુમાન મંદિર ખાતે મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને પૂજા અર્ચના કરવામાં આવી હતી.
ત્યારબાદ રાત્રે 12:00 વાગે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી .ત્યારબાદ જય ગોપાલમિત્ર મંડળ ના યુવકો દ્વારા ભવ્ય રાસ ગરબા અને મટકી ફોડ કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં તમામ ભાઈઓ બહેનોએ ઉત્સાહ ભેર ભાગ લઈ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી .ત્યારબાદ નોમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના પારણા ઝુલાવવાનો ધાર્મિક મનોરથ યોજાયો હતો.