![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/09/15-3.jpg)
પાટણમાં શિક્ષક દિને જિલ્લાના 4 અને તાલુકાના 9 શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું
સમગ્ર ભારતમાં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ 5મી સપ્ટેમ્બર “શિક્ષક દિન” તરીકે ઉજવાય છે. ત્યારે પાટણ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા “શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ પાટણ યુનિવર્સિટીના કન્વેસન હોલ ખાતે યોજાયો હતો જેમાં જિલ્લામાં ના 4 અને તાલુકા ના 9 મળી કુલ 13 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પાટણમાં આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેસન હોલ ખાતે શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષકદિન નિમિતે જિલ્લા કલેકટરની અધ્યક્ષ સ્થાને જિલ્લા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં જિલ્લા કક્ષાના 4 તેમજ તાલુકા કક્ષાના 9 મળી 13 શ્રેષ્ઠ શિક્ષકો તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ.સમારોહ અધ્યક્ષ કલેકટર અરવિંદ વિજયન ,જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન મેતુબેન રાજપૂત,રાધનપુર ધારા સભ્ય લવીંગજી ઠાકોર,જિલ્લા શિક્ષનાધિકારી એ એન ચૌધરી સહિત શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.