ડીસામાં વસતા પાંચ પરગણા બ્રાહ્મણ સમાજ દ્વારા યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાં વસતા શ્રી પાંચ પરગણા બ્રાહ્મણ સમાજ અને શ્રી આનંદ પ્રકાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂનમની સાંજે સામૂહિક યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભૂદેવોએ શાસ્ત્રોત વિધિ વિધાનથી જનોઈ ધારણ કરી હતી.


ડીસા શહેરમાં રહેતા સમસ્ત પાંચ પરગણા બ્રહ્મસમાજ અને શ્રી આનંદપ્રકાશ ચેરિટેબલ ટ્રસ્ટ પાંચ પરગણા બ્રહ્મ સમાજ ડીસા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ યજ્ઞોપવિત ધારણ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. કુલ 151 બ્રાહ્મણ સાથે મળી વિશ્વેશ્વર પહોંચ્યા હતા અને બનાસ નદીના કિનારે આવેલા શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે શિવજીના સાનિધ્યમાં યોજાયેલા યજ્ઞોપવિત કાર્યક્રમમાં અંદાજિત 151 ભૂદેવોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી.દર વર્ષની જેમ ભૂદેવોએ શાસ્ત્રોકત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી જનોઈ ધારણ કરી હતી. આ પ્રસંગે વિશ્વેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં કુલ 151 બ્રાહ્મણ બંધુઓ એ સાથે ભોજન પ્રસાદ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.