આબુરોડ અંબાજી હાઇવે માર્ગ પર બસ પર પથ્થરમારો સદનસીબે મોટી દુર્ધટના ટળી

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનો આસ્થાનું કેન્દ્ર છે ત્યારે મા જગત જનની અંબાના ધામે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મા ના ધામે આવતા હોય છે. યાત્રાધામ અંબાજી રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલું મા જગજનની અંબાનું પવિત્રધામ છે. લોકો પ્રાઇવેટ વાહનો તેમજ સાર્વજનિક વાહનોની મુસાફરી કરી મા ના ધામે પહોંચતા હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે આબુરોડ અંબાજી માર્ગ પર એક ખાનગી બસ પર પથ્થરમારો થવાની ધટના સામે આવી છે.


ગત મોડી રાત્રે આબુરોડ રાજસ્થાન તરફથી આવતી ગુજરાત ટ્રાવલેસની ખાનગી બસ જે અમદાવાદ જવાની હતી તે બસને આબુરોડ અંબાજી હાઇવે માર્ગ વચ્ચે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા બસ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે. બસમાં અનેક મુસાફરો સવાર હતા અને એકાએક અંબાજી આબુરોડ હાઇવે માર્ગ પર બસ પર પથ્થરમારો થતા બસના આગળનો કાચ તૂટી પડ્યો હતો. ત્યારે ડ્રાઇવરની સૂઝબૂજના લીધે તમામ મુસાફરોને સહી સલામત અંબાજી લવાયા હતા. તો સદનસીબે મોટી દુર્ધટના ટળી હતી. ત્યારબાદ બસ આગળના સફર માટે પ્રસ્થાન કરી હતી. પત્થરમારો થતા બસ ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.