![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/30-20.jpg)
ઊંઝામાં ભાજપ યુવા મોરચા દ્વારા 18 વર્ષ પૂર્ણ થયેલા યુવાઓને વિસ્તૃત માહિતી આપી
ઊંઝા શહેરમાં આજરોજ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત યુવા મોરચા દ્વવારા વિસ્તૃત માહિતી આપી ફોર્મ ભરવામાં આવ્યા. રાજ્યમાં ચાલી રહેલા મતદાતા ચેતના અભિયાનમાં રાજ્ય સરકાર દ્વારા ઉલ્લેખનીય છે કે, લોકોમાં વધુ મતદાન અંગે વધુ જાગૃતિ લાવવા માટે મતદાતા ચેતના અભિયાન 1લી ઓગસ્ટથી શરૂ થઈ ચુક્યું છે અને 30 ઓગસ્ટના પૂરું થશે.
રાજ્યના વિવિધ જીલ્લાઓમાં પણ મતદાતા ચેતના અભિયાન હાથ ધરાયું છે.બે દિવસ માટે ખાસ અભિયાનનો આરંભ કરાયો છે.મતદાતા ચેતના અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઇ મતદાતાઓનો સંપર્ક કરી ખૂટતી જરૂરી કાર્યવાહી કરશે અને નવા મતદાતાઓની નોંધણી કરવાની પ્રક્રિયા હાથ ધરશે.આજરોજ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર યુવા મોરચા દ્વારા જે વ્યક્તિના 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેવા વિદ્યાર્થીઓને ફોર્મ ભરીને ચુંટણી કાર્ડની માહિતી આપવામા આવી હતી.જેમાં મહેસાણા જિલ્લાના પ્રભારી નરેશભાઈ ઠાકોર અને ઊંઝા શહેર યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.