![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/25-21.jpg)
પાટણ જિલ્લા ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ
પાટણ ખાતે આગામી લોકસભાની ચૂંટણીમાં નવીન મતદાતાઓ મતદાનથી વંચિત ના રહે અને તેમનું મતદાન નોંધણી થાય માટે જિલ્લા ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈ ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર અને હારીજ તાલુકાના દુનાવાડા ખાતે મતદાતા ચેતના અભિયાન પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને પાટણ જિલ્લા પ્રમુખ ડો. દશરથજીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું.આ લોકતંત્રના મહાપર્વમાં સહભાગી થાય તેવા ઉમદા અભિગમ સાથે વોર્ડ નં.-2ના વિસ્તારમાં શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી વોર્ડ નંબર 2 ના કોર્પોરેટરઓ કાર્યકર્તા હારીજ તાલુકાના પ્રમુખ રાજુભાઈ દેસાઈ અને હોદ્દેદારઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.
પાટણ જિલ્લા ભાજપ દ્વારા પાટણ જિલ્લાના તાલુકા સહિત શહેરમાં આજે 25 થી 31 ઓગસ્ટ દરમ્યાન જિલ્લામાં મતદાતા અભિયાન કરવામાં આવી રહ્યું છે જેને લઈ આજે 18 વર્ષ પૂર્ણ થયેલા નવીન યુવા ધન ની મતદાર તરીકે નોંધણી થાય અને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ સાથે મતદાન નોંધણી ઝુંબેશ ભારતીય જનતા પાટીઁ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમાં પાટણ શહેર અને હારીજ તાલુકાના દુનાવાડા ખાતે ‘મતદાતા ચેતના અભિયાન પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને પાટણ જિલ્લા પ્રમુખ ડો. દશરથજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ ’લોકતંત્રના મહાપર્વમાં સહભાગી થાય તેવા ઉમદા અભિગમ સાથે વોર્ડ નં.-2ના વિસ્તારમાં શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી વોર્ડ નંબર 2 ના કોર્પોરેટરઓ કાર્યકર્તા હારીજ તાલુકાના પ્રમુખ રાજુભાઈ દેસાઈ અને હોદ્દેદારઓ ની હાજરી માં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ ના કાર્યકરો લોકો ના ઘરે જઈ જેમના 18 વર્ષ પૂર્ણ થયેલા નવીન યુવા ધનની મતદાર તરીકે નોંધણી કરવામાં આવી હતી.